
અંબાણી બંઘુઓની લડાઈના અહેવાલો મીડિયામાં છવાયેલા રહે છે ત્યારે તેવા સમયે અમેરિકાના અખબાર ન્યૂ યોર્ક ટાઈમ્સે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સરખામણી મહાત્મા ગાંધી સાથે કરી તેમને ક્રાંતિકારી વિચારક કહ્યાં હતાં.
અખબારે જણાવ્યું હતું કે મુકેશ અંબાણી જેવા મજબૂત નિર્ણય લેનારા લોકોની ભારતને જરૂર છે. ભારતની સૌથી વધુ ધનવાન આ વ્યક્તિને તેના દેશના લોકો દુનિયાની સૌથી વધુ ધનવાન વ્યક્તિ બનતા જોવા ઈચ્છે છે.
અમેરિકાના આ લોકપ્રિય અખબારે ગાંધી અને મુકેશ અંબાણીના કામ કરવાની પદ્ધતિના અંતર અંગે પણ વિસ્તારપૂર્વક જણાવ્યું છે. અખબારે અંદાજે ચાર હજાર શબ્દોમાં મુકેશ અંબાણીની પ્રોફાઈલ રજૂ કરી છે

લોડ થઈ રહ્યું છે...